Homeજાણવા જેવુંવરસાદના પાણીના ટીપાં ગોળાકારના જ કેમ હોય છે? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક...

વરસાદના પાણીના ટીપાં ગોળાકારના જ કેમ હોય છે? જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ

-

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે આપણી આસપાસ તો રહે છે, પરંતુ આપણે તેની પાછળની વાસ્તવિકતાથી સાવ અજાણ હોઇએ છીએ. બાળપણથી અત્યાર સુધી આપણે વરસાદ અને ઝાકળનાં ટીપાં નિશ્ચિતપણે જોયા છે, પરંતુ ધ્યાન આપવા જેવી બાબત એ છે

કે તે ટીપાં હંમેશા ગોળ જ કેમ દેખાય છે. આમ તો જો આપણે કોઈપણ વાસણમાં પાણી મુકીએ છીએ, તો તે તેમાં ઢળી જાય છે, પરંતુ ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે વરસાદના ટીપાં ગોળ કેમ હોય છે? ( Why are raindrops spherical in shape)

વરસાદના ટીપાંનો હંમેશા ગોળાકાર કેમ હોય છે? – Why are raindrops spherical in shape

બાળપણમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરતી વખતે આપણે સપાટીના તણાવ વિશે વાંચ્યું હશે, પરંતુ શું તમે તેની પાછળનું ક્યારેય વૈજ્ઞાનિક જાણ્યું છે?. ચાલો આજે તમને જણાવીએ કે વરસાદના ટીપાં ગોળાકાર થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે. ખરેખર, પાણીના ટીપાંનું ગોળાકાર આકાર હોવાનું કારણ સપાટીનું તણાવ છે. આમ તો પાણી જે વાસણમાં રાખવામાં આવે છે તેનો આકાર લઇ લે છે, પરંતુ જ્યારે તે મુક્તપણે પડે છે, ત્યારે પાણીનું ટીપું નાનું કદ ધારણ કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે વરસાદના ટીપા ગોળાકાર બની જાય છે.

આની પાછળ વૈજ્ઞાનિક કારણ શું છે
ગુરુત્વાકર્ષણની દ્રષ્ટિએ ગોળાકાર આકાર સૌથી નાનો હોય છે. પાણીના ટીપાનું કદ નાનું થતાં તે ગોળાકાર બની જાય છે. તમે થોડું મોટા ટીપાંને નીચે લટકતા પણ જોયું હશે. કારણ કે ગોળ આકારનો વિસ્તાર અન્ય આકાર કરતા ઓછો હોય છે એટલા માટે વરસાદના ટીપા પણ ગોળાકાર હોય છે (Why are raindrops spherical in shape). માત્ર વરસાદી પાણી જ નહીં ઊંચાઈ પરથી પડતું કોઈપણ પ્રવાહી જેમ જેમ પૃથ્વી આવે છે તે ટીપુંમાં ફેરવાય જાય છે અને ટીપાંનો આકાર સપાટી તણાવના કારણ હંમેશા ગોળ હોય છે.

વધારે વાંચો – આ છે દુનિયાનો સૌથી ભયંકર પુલ, અહીં જવા પર રૂહ કાંપી ઉઠશે

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...