Homeરાષ્ટ્રીયભુલથી પાકિસ્તાન પર મિસાઈલ છુટી ગયા મામલે ભારતીય વાયુસેનાના 3 અધિકારી...

ભુલથી પાકિસ્તાન પર મિસાઈલ છુટી ગયા મામલે ભારતીય વાયુસેનાના 3 અધિકારી બરતરફ

-

Gujarati News : ભારત (India) તરફથી થોડ સમય પહેલા ભુલથી મિસાઈલ છોડી દેવાની ઘટના મામલે મોટા સમાચાર મળી રહ્યાં છે. આ ઘટનામાં ત્રણ વાયુસેના (Airforce)ના અધિકારીઓ પર પગલા લેવામાં આવ્યા છે.

ભારતીય મિસાઈલ (Missile) ભુલથી છુટી જતા પાકિસ્તાન (Pakistan)માં જઈ પડી હતી. આ ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા હતા. મામલાની ગંભીરતા પારખી ઈન્કવાયરીના આદેશ કરવામાં આવ્યા હતા. જે મામલે ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કરવાનો નિર્યણ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો- ગુજરાતના આ ગામના કુતરા પણ કરોડપતિ છે ! ખેતીની જમીન ધરાવે છે

ભારતની બ્રહ્મોસ મિસાઈલ ભુલથી પાકિસ્તાન તરફ છોડી દેવામાં મોટો હોબાળો સર્જાયો હતો. જે મામલે અહેવાલ મળી રહ્યાં છે કે, આ મામલે કોર્ટ ઑફ ઈન્કવાયરીમાં ત્રણ અધિકારીઓએ એસ.ઓ.પી. (માનક સંચાલન પ્રક્રિયા)નું પાલન કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, 9 માર્ચના રોજ બ્રહ્મોસ મિસાઈલ ફાયર થઈ ગઈ હતી અને પાકિસ્તાનમાં જઈ પડી હતી.

સદભાગ્યે આ ઘટનામાં મિસાાઈલ સાથે દારૂગોળો ન હોય કોઈ જાનહાની કે મોટું નુકશાન થયું ન હતું. આ ઘટનાની તપાસના અંતે ત્રણ અધિકારીઓને એક્સિડેન્ટલ ફાયરિંગના જવાબદારમાની નોકરી પરથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.

વધુ વાંચો- રાજકોટમાં મહિલાને ફાર્મ હાઉસમાં લઈ જઈ બે-બે વખત બળાત્કાર કરી વિડીયો બનાવ્યો

આજરોજ 23 ઑગસ્ટ 2022ના રોજ ત્રણેય અધિકારીઓને બરતરફ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ઘટના સમયે મિસાઈલ 100 કિલોમીટર સુધી અંદર ઘુસી ગઈ હોવાની માહિતી આપી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...